google news

દેખ લો દુનિયાવાલો! PM મોદીના મનને સમજીને પુતિને છોડી દીધી યૂક્રેન પર પરમાણુ હુમલાની યોજના 

અમેરિકાએ યૂક્રેન મુદ્દે ભારતની રાજદ્વારી રણનીતિની પ્રશંસા કરી છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડા બિલ બર્ન્સે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોની રશિયાના નિર્ણયો પર અસર પડી છે. બર્ન્સ અનુસાર, પીએમ મોદીએ પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વાતો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મન બદલવામાં સફળ રહી. બર્ન્સે કહ્યું, ‘મને લાગે છે કે શી જિનપિંગ અને વડાપ્રધાન મોદીએ પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મારા મતે, તેની અસર રશિયનોને પર પડી.’ 

તેમણે એમ પણ કહ્યું કે આજે એવા કોઈ સ્પષ્ટ પુરાવા નથી કે રશિયા યૂક્રેન યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. યૂક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગ સામે ભારતે વારંવાર અવાજ ઉઠાવ્યો છે. તે બંને પક્ષોને વાતચીત અને કૂટનીતિ માટે તણાવ સમાપ્ત કરવાની અપીલ કરતુ આવ્યું છે.

મોદીએ પુતિન સાથેની વાતચીતમાં અનેકવાર યુદ્ધ ખતમ કરવાની અપીલ કરી હતી. CIA ચીફનું નિવેદન મોદીના નેતૃત્વમાં વિદેશમાં ભારતની વધતી વિશ્વસનીયતાની પુષ્ટિ કરે છે. ભારત વૈશ્વિક મંચ પર એક મોટી વાટાઘાટ શક્તિ તરીકે ઉભરી રહ્યું છે.

અમેરિકાએ છેલ્લા કેટલાક મહિનામાં યૂક્રેનના સંઘર્ષ પર વડાપ્રધાન મોદીના વલણનું અનેકવાર સ્વાગત કર્યું છે. બે દિવસ પહેલા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે, ‘અમે પીએમ મોદીના શબ્દોને જેમ છે તેમ લઈશું અને જ્યારે તે ટિપ્પણીઓ થશે ત્યારે તેનું સ્વાગત કરીશું.’ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા પર પશ્ચિમી દેશોની નારાજગી વચ્ચે અમેરિકાના આવા નિવેદનો આવી રહ્યા છે. પોતાના હિતોને ધ્યાનમાં રાખીને ભારતે યૂક્રેન સંઘર્ષમાં કોઈનો પક્ષ લીધો ન હતો.

મોદી પુતિનને વારંવાર સમજાવી રહ્યા છે

પહેલા કોવિડ, પછી યૂક્રેન સંઘર્ષ દરમિયાન મોદી અને પુતિન સતત વાત કરતા રહ્યા. બંને નેતાઓ વચ્ચે તાજેતરની વાતચીત 16 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. આમાં મોદીએ પુતિનને ફરી એકવાર કહ્યું કે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. બંને નેતાઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત એવા સમયે થઈ જ્યારે એવું બહાર આવ્યું કે મોદી આ વર્ષે વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે મોસ્કો જવાના નથી. પુતિન ગયા વર્ષે આ સમિટ માટે ભારત આવ્યા હતા. આ પહેલા સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં મોદીએ પુતિનને કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી.

આ પણ વાંચો: માત્ર 40 વર્ષના બ્રિટિશ શાસનમાં 10 કરોડ ભારતીયો મૃત્યુ પામ્યા હતા: રિપોર્ટ

G20 પ્રમુખ ભારત વૈશ્વિક મંચો પર વધુ પ્રભાવશાળી 

ભારતને આ મહિને રોટેશનલ ધોરણે G-20નું પ્રમુખપદ મળ્યું છે. વડાપ્રધાન મોદીએ તેને ભારત માટે સુવર્ણ તક ગણાવી હતી. વિશ્વના 19 શક્તિશાળી દેશો અને યુરોપિયન યુનિયન (EU)ના આ સમૂહ દ્વારા ભારતને વૈશ્વિક કૂટનીતિમાં તેની વિશ્વસનીયતા વધારવામાં મદદ કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં ભારતે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ મજબૂત કરી છે. વિશ્વમાં આર્થિક મંદી હોવા છતાં ભારત તેની અર્થવ્યવસ્થાને તેનાથી દૂર રાખવામાં સફળ રહ્યું છે. તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.

આ પણ વાંચોસ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, ઘરે બૈઠા જુઓ વર્ચ્યુઅલ ટૂર સ્ટેચ્યુ ઑફ યુનિટી

હોમ પેજ

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ [તમે આ લેખ sarkarinaukrihona.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Join Telegram Channel