PF Balance: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ કર્મચારીઓ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વ્યવસ્થાપિત નિવૃત્તિ બચત યોજના છે. દર મહિને કર્મચારીઓ તેમના પગારનો એક ભાગ ભવિષ્ય નિધિમાં ફાળો આપે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રોજગારમાંથી નિવૃત્તિ સમયે વ્યાજ સાથે એકીકૃત ચુકવણી મેળવવાનો છે. ભારતમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન અથવા EPFO, ભવિષ્ય નિધિના નિયમન અને સંચાલન માટે જવાબદાર છે.
EPFO
ભારત સરકારની મદદથી શરૂ કરાયેલા પ્રખ્યાત બચત કાર્યક્રમોમાંનો એક એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ અથવા ઇપીએફ છે. સંસ્થાની સ્થાપના 1951માં કરવામાં આવી હતી અને તેની દેખરેખ શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. શ્રમ મંત્રાલય ભારતમાં EPF કાર્યક્રમોનું નિયમન કરે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ બચત યોજનાનું સંચાલન કરે છે. તેને EPFO પણ કહી શકાય છે.
દર મહિને યોગદાન
આ સ્કીમ વ્યક્તિને મોટા પ્રમાણમાં નિવૃત્તિ કોર્પસ એકઠા કરવામાં મદદ કરવા માંગે છે. તે પગારદાર વર્ગના કર્મચારીઓમાં રૂપિયા બચાવવાની ટેવ કેળવે છે. ભંડોળના રૂપમાં એમ્પ્લોયર અને કર્મચારીનું યોગદાન ફંડમાં સામેલ છે. તેમાંના દરેકે કર્મચારીના મૂળ પગાર (મૂળભૂત અને મોંઘવારી ભથ્થા) ના 12 ટકા જેટલા આ ફંડમાં માસિક યોગદાન આપવું જરૂરી છે.
સમય પહેલા ઉપાડ
જો કે જો કોઈએ રિટાયરમેન્ટ પહેલા આ ફંડમાંથી રૂપિયા ઉપાડી લીધા હોય, તો તે પણ થઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજો જરૂરી છે. આ દસ્તાવેજોની મદદથી પીએફના રૂપિયા સરળતાથી ઉપાડી શકાય છે.
આ પણ વાંચો: હવે તમારો પીએફ ક્લેમ રિજેક્ટ નહીં થાય! EPFOની કડક સૂચના – સમયસર પૈસા મળશે
Documents Required for PF withdrawal:
- કમ્પોઝિટ ક્લેમ ફોર્મ
- બે રેવેન્યૂ સ્ટેમ્પ
- બેંક એકાઉન્ટની ડિટેલ (બેંક એકાઉન્ટ ફક્ત પીએફ એકાઉન્ટ હોલ્ડરના નામે હોવુ જોઈએ)
- ઓળખ પત્ર
- એડ્રેસ પ્રૂફ
- IFSC કોડ અને એકાઉન્ટ નંબરની સાથે એક કેન્સલ ચેક
- પર્સનલ જાણકારી જેમ કે નામ, જન્મ તારીખ, ઓળખ પત્રની સાથે સ્પષ્ટ રીતે મેળ ખાતા હોવા જોઈએ
- જો કોઈ કર્મચારી 5 વર્ષની સતત સેવા પહેલા પીએફ રકમ ઉપાડે છે, તો દર વર્ષે પીએફ એકાઉન્ટમાં જમા સંપૂર્ણ રકમના વિગતવાર વિભાજનને સાબિત કરવા માટે આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ 2 અને 3 ભરવા માટે જવાબદાર રહેશે.
આ પણ વાંચો: PF બેલેન્સ: આ ચાર રીતે ઘરે બેસીને તમારું PF બેલેન્સ ચેક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે