અંત્યોદય શ્રમીક સુરક્ષા વિમા યોજના:Antoday shramik suraksha Yojana: ગુજરાત સરકાર દ્વારા દરેક વર્ગના લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે અંત્યોદર શ્રમીક સુરક્ષા યોજના શરૂ કરવામા આવી છે. જેમા શ્રમીકોને નજીવા પ્રીમીયમ ના દરે વિમા કવચ પુરૂ પાડવામા આવે છે. આ યોજનામા રૂ.499 અને રૂ.289 ના નજીવા પ્રીમીયમ ના દરે મોટી રકમનો વિમો આપવામા આવે છે. આ યોજનાની તમામ માહિતી મેળવીએ.
અંત્યોદય શ્રમીક સુરક્ષા વિમા યોજના
મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઇ પટેલ દ્વારા આ યોજનાનો શુભારંભ કરવામા આવ્યો. આ યોજનાનો મુખ્ય હેતુ કોઈ પણ અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં શ્રમિકો માટે આર્થીક રીતે સધ્ધરતા સુનિશ્ચિત કરવાનો છે. આ યોજનાથી શ્રમિકોને તબિબી સુરક્ષા કવચ મળતા તેઓ વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની શકસે. આ વીમા સુરક્ષા યોજના મા માત્ર રૂ. 289 અને રૂ. 499ના નજીવા પ્રિમિયમ દ્વારા શ્રમિકોના આકસ્મિક મૃત્યુ, આંશિક અથવા વિકલાંગતાના કિસ્સામાં વઘુમાં વધુ રૂ. 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના નો મુખ્ય હેતુ શ્રમ યોગીઓને સશક્ત બનાવવાનો છે.
અંત્યોદય શ્રમીક સુરક્ષા વિમા યોજના ડીટેઇલ માહિતી
લાભ | વિમાની રકમ વિકલ્પ-1 | વિમાની રકમ વિકલ્પ-2 |
દુર્ઘટનાથી મૃત્યુ | રૂ. 10 લાખ | રૂ. 5 લાખ |
કાયમી વિકલાંગતા | રૂ. 10 લાખ | રૂ. 5 લાખ |
આંશીક વિકલાંગતા | રૂ. 10 લાખ | રૂ. 5 લાખ |
આકસ્મીક હોસ્પીટલ ખર્ચ | રૂ. 1 લાખ અથવા વાસ્તવિક ખર્ચ (બે માથી ઓછુ હોય તે) | રૂ. 50 હજાર અથવા વાસ્તવિક ખર્ચ (બે માથી ઓછુ હોય તે) |
લાંબા સમય સુધી હોસ્પીટલમા દાખલ | રૂ.10000 (એક વખત) | ઉપલબ્ધ નથી. |
અંતિમ સંસ્કાર વીધી ખર્ચ | રૂ.5000 | રૂ.5000 |
પાર્થીવ દેહનુ પરિવહન | રૂ. 5000 અથવા વાસ્તવિક ખર્ચ બેમાથી ઓછુ હોય તે | રૂ. 5000 અથવા વાસ્તવિક ખર્ચ બેમાથી ઓછુ હોય તે |
કોમા | એક વખતના લાભ તરીકે રૂ. 1 લાખ માત્ર આક્સ્મીક દાવાનો હિસાબ | એક વખતના લાભ તરીકે રૂ. 50000 માત્ર આક્સ્મીક દાવાનો હિસાબ |
શિક્ષણ લાભ | વિમાધારક સભ્યના આક્સ્મિક મૃત્યુ ના કિસ્સામા 2 બાળકો માટે રૂ. 1 લાખ સુધી | ઉપલબ્ધ નથી. |
વિમા પ્રીમીયમ GST સહિત | રૂ. 499 | રૂ. 289 |
અંત્યોદય શ્રમીક સુરક્ષા વિમા યોજનાની મુખ્ય વિશેષતાઓ
વ્યાપક કવરેજ
તેમાં રૂ.10 લાખ ના આકસ્મિક વીમા સહિત લાભોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. 10 લાખ અને રૂ. 5 લાખ, વિકલાંગતા લાભો, હોસ્પિટલમાં દાખલ થવાનો લાભ વગેરે. આ બધું શ્રમિકોની અનન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
પોષણક્ષમ પ્રીમિયમ: રૂ.ના ખૂબ જ પોસાય તેવા વાર્ષિક પ્રીમિયમ દરે ઓફર કરવામાં આવે છે. 499/- રૂ. 10 લાખનું કવર અને રૂ. 289/- રૂ. 5 લાખનું કવર, જીવનના તમામ ક્ષેત્રના શ્રમિકો માટે તેને સુલભ બનાવે છે.
સરળ રજીસ્ટ્રેશન પ્રોસેસ
શ્રમિકો નજીકની પોસ્ટ ઓફિસ/પોસ્ટ મેન/ગ્રામીણ ડાક સેવક દ્વારા સરળતાથી નોંધણી કરાવી શકે છે.
પાન ઈન્ડિયા કવરેજ: સફળ પાયલોટ લોન્ચ પછી, 28 કરોડથી વધુ શ્રમિકોને આવરી લેવા માટે આ યોજના સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી કવરેજ એ સુનિશ્ચિત કરશે કે દરેક શ્રમિક, તેમના ભૌગોલિક સ્થાનને ધ્યાનમાં લીધા વિના તેનો લાભ મેળવી શકે.
નાણાકીય સુરક્ષા
આકસ્મિક કવર અને હોસ્પિટલમાં દાખલ થવાના લાભો સુનિશ્ચિત કરીને, આ યોજના શ્રમિકોને દેશની પ્રગતિમાં વધુ અસરકારક રીતે યોગદાન આપવા માટે સશક્ત બનાવશે.
આ યોજનાની વિશેષ માહિતી માટે અને આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે આપની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click Here |